Friday, July 26, 2024

પુત્ર ભાજપમાં જોડાતા પિતાએ બદલ્યો રસ્તો, છોટુ વસાવાએ કરી હતી આ જાહેરાત

ગુજરાતના અગ્રણી આદિવાસી નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય Chhotubhai Vasava એ જણાવ્યું હતું કે તેમણે દેશની આદિવાસી વસ્તીના અધિકારો માટે લડત આપવા માટે એક નવું સંગઠન બનાવ્યું છે. થોડા દિવસો પહેલા જ Chhotubhai Vasava ના પુત્ર અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના પ્રમુખ મહેશ વસાવા સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે.

BTPના સ્થાપક છોટુ વસાવાએ જણાવ્યું હતું કે તેમનું નવું સંગઠન રાજકીય નથી પરંતુ એક સામાજિક સંગઠન છે, જેનું નામ ભારત આદિવાસી સંવિધાન સેના (BASS) છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી કયા બેનર હેઠળ લડશે તેની જાહેરાત તેઓ ટૂંક સમયમાં કરશે.

તેમના પુત્ર મહેશ વસાવાના ભાજપમાં જોડાવા અંગે નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે પૈસા અને સત્તાના લોભમાં દગો કરનારાઓને સમાજ ક્યારેય માફ નહીં કરે.

પીટીઆઈ સાથે વાત કરતા, વસાવાના સહાયક અંબાલાલ જાધવે જણાવ્યું હતું કે ભારત આદિવાસી પાર્ટીના નેતાઓ શુક્રવારે વસાવાને મળશે અને લોકસભા ચૂંટણી પર આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરશે. વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં BAP રાજસ્થાનમાં ત્રણ અને મધ્ય પ્રદેશમાં એક બેઠક જીતી હતી.

તેમણે કહ્યું, “રાજસ્થાનના ત્રણ BAP ધારાસભ્યો અને મધ્યપ્રદેશના એક સાંસદ શુક્રવારે છોટુ વસાવાને મળશે. અમે ચૂંટણી લડવાનું પણ નક્કી કરીશું.” વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા BAPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.

નોંધનીય છે કે બીટીપીની સ્થાપના વસાવાએ કરી હતી અને તેમના મોટા પુત્ર મહેશ વસાવાએ તેનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ તેઓ 11 માર્ચે ભાજપમાં જોડાયા હતા અને પાર્ટીને ભાજપમાં ભેળવી દીધી હતી.

છોટુ વસાવાએ 2004 અને 2009માં જનતા દળ (યુનાઈટેડ)ના ઉમેદવાર તરીકે અને 2014માં BTPના ઉમેદવાર તરીકે ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. તેમણે કહ્યું કે તેમના નવા સંગઠન BASSની રચના આદિવાસી વસ્તીના હિતોની રક્ષા કરવા અને તેમની વિરુદ્ધ કામ કરી રહેલા દળોનો સામનો કરવા માટે કરવામાં આવી છે.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Advertismentspot_img

Instagram

Most Popular